લોકસભા ચૂંટણીના ઉમેદવાર કન્હૈયા કુમાર પર હુમલો: નોર્થ ઈસ્ટ દિલ્હીના કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમારને આઠ લોકોએ માર્યા, કાળી સહી પણ ફેંકી
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan18052024_051155_kanaya kumar.webp)
- 18 May, 2024
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના નોર્થ ઈસ્ટ દિલ્હીનાં ઉમેદવાર કન્હૈયા કુમારને સાતથી આઠ લોકોએ જાહેરમાં માર માર્યો હતો. આ સિવાય તેમની પર કાળા રંગની સહી પણ ફેકવામાં આવી હતી. મારમારવાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. કન્હૈયા કુમાર પર હુમલો કરનાર પૈકીના બે હુમલાખોરોએ જણાવ્યું હતું કે કન્હૈયાએ દેશને તોડવા અંગે અને ભારતની આર્મી વિરુદ્ધનું નિવેદન આપ્યું હોવાના પગલે તેમને મારમારવામાં આવ્યો હતો.
चुनावों में हार की बौखलाहट के चलते प्रधानमंत्री बहकी बहकी बातें कर रहे है, और उनके चेले भाड़े के गुंडों को भेजकर कांग्रेस के प्रत्याशियों पर हमला। @kanhaiyakumar पर कायराना हमला करने वाले भाजपाई गुंडों पर @DelhiPolice को तुरंत कार्यवाही करना चाहिये। pic.twitter.com/kLqRvV8pIb
— Srinivas BV (@srinivasiyc) May 17, 2024
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક કન્હૈયા કુમારની નજીક આવે છે અને પહેલા તેમને માળા પહેરાવે છે અને પછી અચાનક કન્હૈયા કુમારને લાફો ઝીંકી દે છે. આ ઘટનાનો વીડિયો જોતા એવું લાગે છે કે જાણે આ ઘટના પૂર્વાયોજિત હતી.
કન્હૈયા કુમારના કાર્યાલય દ્વારા આ મામલે ભાજપ સાંસદ મનોજ તિવારીને દોષિત ઠેરવાયા છે અને તેમના પર આરોપ મઢવામાં આવ્યા છે. કન્હૈયા કુમારના કાર્યાલય વતી એવું કહેવામાં આવ્યું હતું કે કન્હૈયાને મળી રહેલું જંગી સમર્થન મળી રહ્યું છે તેનાથી નારાજ મનોજ તિવારી તેમના સાથી ગુંડાઓને મોકલીને કન્હૈયા પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને જનતા તેનો જવાબ આપશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ